- 100 ડિગ્રી તાવ ધરાવતા દર્દીનું જ કોરોના ટેસ્ટિંગ થશે
- કોરોનાનો ટેસ્ટ કરાવનારી વ્યક્તિની આંગળી પર કાળી શાહી લગાવાશે
- કોરોનના ટેસ્ટીંગને લઈને AMCએ ટેસ્ટીંગ પ્રક્રિયામાં કર્યું ફેરફાર
અમદાવાદમાં પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે.બીજીબાજુ દિવાળીના તહેવારને લઇને બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલાં સઘન ટેસ્ટિંગની પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે લોકો વારંવાર કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યા છે ત્યારે AMC દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટેની રણનીતિ બદલી છે. લોકો વારંવાર ટેસ્ટિંગ ન કરાવે એ માટે એકવાર ટેસ્ટ કરનારી વ્યક્તિની આંગળી પર કાળી શાહી લગાવવામાં આવશે તેમજ શરદી-ખાંસીની ફરિયાદ સાથે લોકો ટેસ્ટ કરાવવા પહોંચતાં ટેસ્ટિંગ કરતાં સેન્ટરો પર લાંબી લાઈનો લાગી રહી છે, જેને અટકાવવા માટે હવે 100 ડિગ્રી તાવ ધરાવતા દર્દીઓનો જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.