રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારે સવારે દિલ્હીથી એર ઈન્ડિયા વન-બી 777 ની પ્રથમ ફ્લાઇટમાં ચેન્નાઈ જવા રવાના થયા હતા. અહીંથી રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશના તિરૂપતિ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર જશે, જ્યાં તેઓ તેમની પત્ની સવિતા કોવિંદ સાથે ભગવાનની પૂજા કરશે.
President Kovind boards the Air India One- B777 aircraft for inaugural flight to Chennai. The President will be visiting Tirupati, Andhra Pradesh to offer prayers at the Sri Venkateswara Swamy Temple. pic.twitter.com/R4hqJQnhTF
— President of India (@rashtrapatibhvn) November 24, 2020
દિલ્હીથી ચેન્નઈ જવા રવાના થતાં પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એરપોર્ટ પર ભારતીય વાયુ સેના અને એર ઇન્ડિયાના પાઇલટ્સ સહિતની આખી ટીમને મળ્યા હતા. એર ઇન્ડિયા વન વિમાન ફક્ત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન માટે છે. તાજેતરમાં જ બે વીવીઆઈપી વિમાન એર ઇન્ડિયા વન ઇન્ડિયા પહોંચ્યા હતા.