જનતા ન્યુઝ 360, અમદાવાદ

મણિનગરની લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા. પ્રાપ્ત માહિતી અનુસાર આગ લાગવાનું કારણ મીટરમાં શોક સર્કિટમાં ભડાકા સાથે આગ લાગી હતી. જોકે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસિબે આ ઘટનામાં કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં આ પહેલા પણ કોવિડ હોસ્પિટલોમાં આગ લાગી ચૂકી છે અને કેટલાક માસુમ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં તો કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ મોતને ભેટ્યા હતા ત્યાર બાદ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરની તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી. અને જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ન હતી તેમને નોટીસો પણ ફટકારી હતી. પરંતુ વારંવાર આગની ઘટનાઓથી હવે શહેરીજનોમાં પણ ફફડાટ છે.
