મદરેસા અને સંસ્કૃત સ્કૂલ બંધ
શિયાળુ સત્રમાં બિલ પસાર કરાશે
640 મદરેસા બંધ કરવા નિર્ણય
આસામની સર્બાનંદ સોનોવાલ સરકારે રાજ્યમાં તમામ સરકારી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓને બંધ કરવાના પ્રસ્તવાને રવિવારે મંજૂરી આપી દીધી છે. રવિવારે થયેલી કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે.

જણાવી દઇએ કે આસામ વિધાનસભાનું શિયાળુ સત્ર 28 ડિસેમ્બરથી શરૂ થવાનું છે. આસામ સરકારમાં સંસદીય મામલાના મંત્રી અને સરકારના પ્રવક્તા ચંદ્ર મોહન પટવારીએ જણાવ્યું કે, મદરેસા અને સંસ્કૃત શાળાઓથી જોડાયેલા હાલના કાયદાઓને પરત લેવામાં આવશે. જેના માટે રાજ્ય વિધાનસબાના આગામી સત્રમાં એક બિલ લાવવામાં આવશે
