નવસારીના સોલધરાના ઇકો પોઇન્ટના કૃત્રિમ તળાવમાં બોટ પલટી હતી
સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા 3 લોકોના મોત
પોલીસ અધિકારીઓએ અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
ચીખલી તાલુકાના સોલધરા ગામના ઇકો પોઇન્ટ પર લોકો રવિવારની મજા માણવા આવ્યા હતા. ત્યારે સોલધરા ગામના તળાવમાં બોટ પલટી જતા બોટમાં સવાર 10થી વધુ લોકો ડુબ્યા હતા. જોકે આ બોટ દુર્ઘટનામાં 3 લોકોના પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. જ્યારે હજુ 3 લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.