નવી દિલ્હી : નીરજ ચૌધરી જ્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે કાઠમાંડુ પહોંચ્યા તો તે દિવસે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, સાત સપ્તાહની અંદર તે સાજા થઇને ફરીથી માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે કાઠમાંડુ પહોંચી ગયા હતાં. આ વખતે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ થયા. તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી […]
તમે જાત જાતની ચોરી ઘટના વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે આજે તમને જે ઘટના વિશે જણાવીશું તે જાણીને તમે ચોંકી જશો. તમે મંદિરોમાંથી મૂર્તિઓની ચોરી, કારમાંથી પેટ્રોલની ચોરી, કારમાંથી બેટરી અથવા લોગોની ચોરી વિશે સાંભળ્યું હશે પરંતુ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આખેઆખો મોબાઇલ ટાવર જ ચોરો ઉઠાવી ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મધ્યપ્રદેશના બહોડાપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં […]
રથયાત્રા : (144 મી) રથયાત્રાને ગણતરીની મિનિટો જ બાકી છે. મંગળા આરતી બાદ બીજી વિધિ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાને લઈને મંદિરની બહાર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23,000 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 34 એસઆરપી કંપનીઓ, નવ સીઆરપીએફ કંપનીઓ, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો […]
મેષ રાશિ (અ.લ.ઇ.) કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ રાશિ (બ.વ.ઉ.) સરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાઇ બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો. મિથુન રાશિ (ક.છ.ઘ.) કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો […]
વડોદરા : વડોદરા શહેરના પ્રખ્યાત સુરસાગર તળાવમાંથી એક પછી એક જળચર જીવો મૃત હાલતમાં મળી આવેતા સુરસાગર તળાવના પાણીની શુદ્ધતા સામે પ્રશ્નો ઉભા થયા છે. થોડા દિવસો પહેલા સુરસાગર તળાવના પાણીમાં કાચબો મૃત હાલતમાં મળી આવતાં બે મોટી માછલીઓ પણ મૃત હાલતમાં મળી આવી છે. સુરસાગર તળાવના ગેટ નંબર 6 અને 4 પાસે બે મોટી […]
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારે તાજેતરમાં કરેલા કેબિનેટ વિસ્તરણ પર કટાક્ષ કર્યો છે. એક મીડિયા રિપોર્ટને ટેગ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, મંત્રીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ રસી નહીં. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જે મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો છે તેમાં કહેવાયુ છે કે, હાલમાં ભારતમાં રોજ 34 લાખ ડોઝ અપાઈ રહ્યા છે, […]
જુનાગઢ : જિલ્લાના કેશોદમાં 10 તોલા સોનાની ચોરી થઈ ગઈ. આ ચોરી સોનું રિફાઈન કરનાર વેપારીને ત્યાં થઈ છે. સોમનાથ રિફાઇનરીના માલિક મરાઠા સદાશિવ કુંડલીકને અજાણ્યા શખ્સોએ રૂ .5 લાખનું સોનું ચોરીને ફરાર થઈ ગયા છે. જ્યારે કારીગર દ્વારા કુંડળીમાં બે વર્ષથી એકત્રીત કરાયેલા દસ તોલા સોનું ન મળતાં વેપારીની હોશ ઉડી ગઈ હતી. તેમણે […]
રાજકોટના વેણુ -2 ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને કારણે વેણુ ડેમમાં 1428 ક્યુસેક પાણીની આવક થઈ છે. ચોમાસાની શરૂઆતમાં પાણીની આવક થતાં જ પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે રાજકોટના ઉપલેટામાં 11 ગામોની જીવાદોરી સમાન વેણુ ડેમમાં પાણીની આવક થઈ છે. વેણુ ડેમની સપાટી અંદાજે અડધો ફૂટ વધારો […]
મેડિકલ સાયન્સ આટલું આગળ વધ્યું હોવા છતાં પણ લોકો અંધશ્રદ્ધા, તાંત્રિક અને ભુવા-ધુતારામાં વિશ્વાસ રાખે છે. રાજસ્થાનના ભિલવાડામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ન્યુમોનિયાની સારવારના નામે એક તાંત્રિકે અઢી વર્ષની માસૂમ બાળકીના શરીરમાં ગરમ સળિયા ઘોંચી દીધા. તે પછી, બાળકીની હાલત ગંભીર બની હતી અને તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી […]
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ પછી રસીકરણ કેન્દ્રો શરૂ થયા છે. ગઈકાલથી રાજ્યમાં 5000 થી વધુ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3.02 લાખ લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યે બુધવારે મમતા દિવસ પર રસીકરણનો કાર્યક્રમ બંધ કરવાની ઘોષણા કરી હતી, પરંતુ રસીનો પૂરતો પુરવઠો ન હોવાને કારણે રસીકરણ કામગીરી વધુ બે […]