અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતાં અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે ત્યારે ભક્તો માતાજીનાં દર્શન કરવા દૂર દૂર થી આવી રહ્યાં છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનું સુવર્ણ શિખર દાન અમદાવાદ ના ભક્ત દ્વારા આપવામાં આવ્યું હતું અને આ સિવાય બીજા અન્ય ભક્ત દ્વારા 1 કિલો ચાંદી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

આજે અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનાનું દાન આવ્યું હતું જેની કુલ કિંમત 4 લાખ 80 હજાર થાય છે અને આ દાન સુવર્ણ શિખર માટે આપવામાં આવ્યું હતુ.અમદાવાદ ના ભક્ત દ્વારા દાન આપવામા આવ્યુંહતું. આ સિવાય અમદાવાદના અન્ય એક ભક્ત દ્વારા 1 કિલો ચાંદી ભેટ આપવામાં આવીહતી જેની કુલ કિંમત 73 હજાર થાય છે આ બાબતે ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ગઢવી દ્વારા મીડીયાને માહીતી આપવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page