અમદાવાદ / ગુજરાતમાં હોટલ એસોસિએશનની કર્ફ્યૂનો સમય રાત્રે 10 ના બદલે 12 વાગે સુધી કરવાની રાજ્ય સરકારને અપીલ

0 minutes, 0 seconds Read

ગુજરાત માં હોટલ એસોસિએશનને રાજ્ય સરકાર પાસે મહાનગરોમાં કર્ફ્યૂનો સમય રાત્રે 10 ના બદલે 12 વાગે સુધી કરવાની માંગ કરી છે. તેમજ રાત્રે 9ને બદલે 11 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખવાની પરવાનગી આપવા અપીલ કરી છે.

આ અંગે હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. તેમજ સરકારે લગ્ન પ્રસંગમાં ઓછામાં ઓછા 500 લોકોની છૂટ આપવી જોઇએ તેવી પણ માંગ કરી છે.

આ અંગે રાજ્ય હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે આજે પંદર મહિનાથી વધુ સમયથી અમારો હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ બંધ જેવો જ હતો.

તેમજ હાલ કોરોનાના કેસ ઘટતા અમારી જે ખોટ છે તે ભરપાઇ કરીને આત્મ નિર્ભર બનવાનો સમય છે. ત્યારે સરકારને વિનંતી છે કે અમારા હાલ કર્ફ્યૂનો સમય રાત્રે 10 ના બદલે 12 વાગે સુધી કરવા આવે જેનાથી અમારા ધંધાને યોગ્ય રીતે ચલાવવાનો સમય મળી શકે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights