ગુજરાતના કોઈ ખેલાડીને 23 વર્ષ બાદ ભારતીય ટીમની કમાન મળી છે. આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની હાર્દિક પંડયા કરશે. હાર્દિક ગુજરાતનાં વડોદરાનો ખેલાડી છે જેણે તાજેતરમાં જ IPLમાં પોતાની ટીમ Gujarat Titansને વિજયી બનાવી હતી. છેલ્લી વખત ગુજરાતના કોઈ ખેલાડીએ 1998-1999માં ભારતની કેપ્ટનશિપ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 1999માં અજય જાડેજાને ભારતીય ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરનાર તે ગુજરાતનો એકમાત્ર ખેલાડી છે. બીજી તરફ ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ગુજરાતના ગોધરામાં જન્મેલા નરીમાન કોન્ટ્રાક્ટરે છેલ્લી વખત ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી હતી.
આપને જણાવી દઈએ કે, 1960ના દાયકામાં તેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમના પહેલા, દત્તા દેગવાડે 1959 માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમના પહેલા, વિનુ માંકડ 1954 થી 1959 સુધી ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન હતા.