કોરોનાની બીજી લહેરના કારણે સંખ્યાબંધ દેશો પરેશાન છે અને હવે કોરોના વેક્સીન નહીં મુકાવવા માંગતા લોકોના કારણે પણ ઘણા દેશો હેરાન થઈ રહ્યા છે.

અમેરિકા જેવા દેશો લોકોને વેક્સીન લગાવવા માટે ઈનામી લાલચ આપી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાન લોકોને વેક્સીન સેન્ટરો સુધી ખેંચી લાવવા માટે ધમકીના હથિયારનો ઉપયોગ કરી રહ્યુ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારે ધમકી આપી છે કે, જે લોકો વેક્સીન નહીં લગાવે તેમનુ સીમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જેનો મતબલ કે તેઓ પોતાના મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબના સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપયોર્ક નિર્ણય લેવાયો હતો. જેમાં નક્કી કરાયુ હતુ કે, જે પણ કોરોના વેક્સીન નહીં લગાવે તેમનુ સીમ કાર્ડ બ્લોક કરી દેવાશે. સરકારનુ કહેવુ છે કે, જ્યાં મોટા પાયે વેક્સીન મુકાઈ છે ત્યાં કોરોનાના કેસ ઘટ્યા છે. જોકે નિર્ધારિત લક્ષ્ય કરતા વેક્સીન લગાવનારા લોકોની કુલ સંખ્યા ઓછી છે. હવે લોકો વેક્સીનુ મુકાવે તે માટે આકરા નિયમો લાગુ કરવાનુ નક્કી થયુ છે.

પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ડો.યાસમીન રશીદનુ કહેવુ છે કે, અમે એવા લોકોનુ લિસ્ટ તૈયાર કરી રહ્યા છે જેઓ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. ઘણા લોકો પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના કારણે લોકોમાં ડર પણ પેસી ગયો છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page