Thu. Apr 25th, 2024

કોરોનાના નવા 38948 કેસ: આ રાજ્યમાં કરફયુ લંબાવાયો

By Jantanews360 Team Sep6,2021

ભારતમાં સળંગ પાંચેક દિવસ 40000થી વધુ નોંધાયેલા કેસોમાં આજે આંશિક રાહત હતી. છેલ્લા ચોવીસ કલાકમાં 38948 કેસ નોંધાયા હતા અને 219 લોકોના મોત નિપજયા હતા. ગોવામાં સંક્રમણ ઘટતુ ન હોવાથી રાજય સરકારે કરફયુ 13 સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા 38948 કેસ સામે 43903 લોકો સાજા થયા હતા. આ સાથે એકટીવ કેસની સંખ્યા 4.04 લાખ થઈ હતી. અત્યાર સુધીના કુલ કેસ 3.30 કરોડ થયા છે અને 4.40 લાખથી અધિક લોકોના મોત નિપજયા છે.

દેશમાં હાલ હોટસ્પોટ બનેલા કેરળમાં નવા કેસનો આંકડો 30000થી નીચે આવી ગયો હતો. 26000થી વધુ કેસ હતા. મિઝોરમમાં 444 કેસ નોંધાયા હતા. ગોવામાં 72, પશ્ચીમ બંગાળમાં 707 કેસ હતા. મહારાષ્ટ્રમાં 4057 કેસ સામે 67 લોકોના મોત હતા. રાજયના સાત જીલ્લાઓમાં કેસ વધી રહ્યાના સંકેતોથી સરકાર એલર્ટ થઈ હતી.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights