ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, IFFCOએ રાસાયણિક ખાતરના ભાવમાં કર્યો વધારો

0 minutes, 0 seconds Read

દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા ઈફ્કોએ ખાતરના ભાવમાં કર્યા વધારો. ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો. અગાઉ પ્રતિ બેગ ભાવ 1175 રૂપિયા હતો જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો. એ જ રીતે ઈફ્કો નપકનો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો.

જે વધી 1450 રૂપિયા થયો, જયેશ દેલાડે સહિત ખેડૂતોએ ભાવ વધારો પરત ખેંચવાની માગ કરી. ફરી એકવાર ખાતરના કિંમતોમાં વધારો થતાં જગતના તાત માટે મુશ્કેલી ઉભી થઈ છે. ડીએપી, એનપીકે અને યુરિયાના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો ત્રાહીમામ છે.

ખેડૂતોનું કહેવું છે કે વારંવાર વધતા ખાતરના ભાવે ખેડૂતોની કમર તોડી નાંખી છે. જો આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાશે. ખેડૂતોના હિતમાં સરકારે નિણર્ય લઈ વારંવાર ખાતરમાં વધતા ભાવ અટકાવવા જોઈએ.


છેલ્લા બે વર્ષથી કોરોના માટેનો સમય ચાલી રહ્યો છે. જેની અસરથી ખેડૂતો પણ બાકાત રહી શક્યા નથી. તેવામાં ઇફકો કંપનીએ ખાતરમાં ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં જ દર વર્ષે ઇફકો કંપનીના ખાતરની ખપત રહે છે. જેમાં હવે કંપનીએ તેમાં ભાવવધારો ઝીંકી દેતાં ખેડૂતોએ દર વર્ષે કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડશે. દેશની સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. જેને પગલે ખેડૂતોની સ્થિતિ બગડી છે.

 

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights