ગીર સોમનાથ / તાઉતે વાવાઝોડાની સહાય ન મળતા વિરોધ, સોમનાથ -ભાવનગર હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો

0 minutes, 0 seconds Read

ગીર સોમનાથ : સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે ખેડૂતોએ સોમવારે ચક્કાજામ કર્યો હતો. જેમાં તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને હજુ સુધી સહાય ના મળતા ભાજપ સરકાર વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા.કિસાન સંઘ અને ખેડૂતો એ હાઈવે બ્લોક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ દરમ્યાન ખેડૂતના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા હતા, અને રસ્તા વચ્ચે જ ધરણા પર બેસી ગયા હતા. હાઈવે પર ચક્કાજામના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

 

પોલીસ દ્વારા ધરણા બંધ કરવા ધારાસભ્યને સમજાવટના પ્રયાસો કરાયા હતા. પોલીસની સમજાવટની કોઈ અસર ના થતા પોલીસે કોંગ્રેસી ધારાસભ્યને ટીંગાટોળી કરી વાનમાં બેસાડવાની ફરજ પડી હતી.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights