ગુજરાતના 8 જિલ્લાના 38 તાલુકામાં ભારે વરસાદથી પાકને નુકસાન

0 minutes, 0 seconds Read

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં થયેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી થતા તંત્રએ પાક નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે. જેમાં રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત 8 જિલ્લાના 38 તાલુકામાં કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરતમાં પણ પાકને નુકસાન થયું છે. તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પણ પાકને અસર થઈ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની 120 ટીમે 29,800 હેક્ટર જમીનમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી લીધો છે. જ્યાં હજુ સુધી વરસાદી પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસર્યા બાદ પાક નુકસાનીનો સરવે હાથ ધરાશે. આ સર્વેનું કામ પૂર્ણ થયા બાદ સરકારી ધારાધોરણો પ્રમાણે સહાયની ચુકવણી કરવામાં આવશે.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights