તા.30/01/2022નારોજ દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકા ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ઝાલોદ નગરમાં સફાઈ અભિયાન અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જેમાં આમઆદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી શ્રી જયેશભાઈ સંગાડા અને પાર્ટીના અન્ય હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહીને ઝાલોદ નગરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો.

આવનાર સમયમાં ગાંધીની વિચારધારા સાથે આમઆદમી પાર્ટી કામ કરશે અને આ દેશમાં ભ્રષ્ટચાર થઈ રહ્યો છે ગાંધીજીની વિચારધારા અને અહિંસાના માર્ગે જઈ આમઆદમી પાર્ટી કામ કરશે એવું ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા દ્વારા ગાંધીજીની પુણ્યતિથિ દિવસે નિવેદન આપવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી શ્રી જયેશભાઈ સંગાડા દ્વારા ઝાલોદ નગરપાલિકામાં ગંધકીને લઈને ઝાલોદ નગરમાં ભાજપની સત્તા નગરપાલિકામાં છે અને અને ભાજપની સત્તામાં ઝાલોદ નગરમાં ગંધા પાણીની ખુલ્લી ગટરો હોવાથી રોગચાળો ફેલાવવાનો ભય ઝાલોદ નગરવાસીઓ પર રહેવાની આશંકા રહેશે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page