દ્વારકા / દ્વારકાધીશ મંદિરમાં અડધી કાઠીએ ધજા ચડાવાઈ, શિખર પર વીજળી પડવાથી થયું નુકસાન

0 minutes, 0 seconds Read

દ્વારકાધીશ મંદિરના શિખર ધ્વજ પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેના કારણે શિખર પરની પાટલીના બે ભાગને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે દ્વારકાધીશે ધ્વજને અડધી કાઠીએ ચડાવી પડી છે. શિખર પર રહેલા પાટલીના બે ભાગ પર બેસીને અબોટી પરિવાર ધજા ચડાવે છે. પાટલીને નુકસાન પહોંચતા અડધી કાઠીએ ધજા ફરાકવાની ફરજ પડી હતી.

 

દ્વારકા જિલ્લામાં ગઈકાલે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ દ્વારકા જગત મંદિર નજીક વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વીજળી દ્વારકાધીશ મંદિરના શિખર ધ્વજ પર પડતા ધ્વજા ખંડિત થઈ હતી. દ્વારકાધીશ મંદિરના શિખર ધ્વજ પર વીજળી પડવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights