મધ્ય પ્રદેશમાં મુરૈના નજીક હેતમપુર સ્ટેશન નજીક ટ્રેન નંબર 20848 દુર્ગ સુપરફાસ્ટ એક્સપ્રેસની ચાર બોગીઓમાં આગ લાગી ગઈ. ટ્રેન ઉધમપુરથી દુર્ગ જઈ રહી હતી. પોલીસ, વહીવટીતંત્ર, રેલવે સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જેમણે આગ પર કાબૂ કરવાનુ શરૂ કરી દીધુ છે. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની જાણકારી નથી.

જાણકારી અનુસાર જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી ચાલીને છત્તીસગઢના દુર્ગ જઈ રહેલી આ ટ્રેનના એસી કોચ એ1 અને એ2માં આગ લાગી છે. જેમાં વૈષ્ણોદેવીથી પાછા ફરી રહેલા તીર્થયાત્રી પણ સામેલ છે. ઘટના સ્થળ પર હાજર લોકો અનુસાર કેટલાક મુસાફરમાં ટ્રેનથી કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં કેટલાક લોકોને સામાન્ય ઈજા પણ પહોંચી છે.ટ્રેનમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો જોઈને અંદાજો લગાવવામાં આવી શકે છે કે આગની ઘટના કેટલી ભયાવહ છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page