Tue. Jan 14th, 2025

બનાસકાંઠા : કતલખાને લઇ જવાતા 15 પશુઓનો જીવદયા પ્રેમીઓએ બચાવ કર્યો, પોલીસે તપાસ હાથ ધરી

બનાસકાંઠામાં કતલખાને લઈ જવાતા પશુઓનો આબાદ બચાવ થયો છે. જેમાં જીવદયા પ્રેમીઓએ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પશુઓને કાંકરેજ તાલુકાની ઉંબરી નદી પર આવેલ કતલખાને લઈ જવાતા હતા.

હાલ શિહોરી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તેમજ પશુઓને કતલખાને લઈ જવામાં કોની સંડોવણી છે, તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights