yalemedicine.org

ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરી લીધી કોરોનાની ઓલ વેરિયન્ટ વેક્સીન

0 minutes, 3 seconds Read

કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે ભારતીય વૈજ્ઞાનિકોએ એક એવી વેક્સીન તૈયાર કરવાનો દાવો કર્યો છે જે કોરોના વાયરસના બધા વેરિયન્ટ વિરુદ્ધ પ્રભાવી હોય શકે છે. કાજી નજરૂલ યુનિવર્સિટી, આસનસોલ અને ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને અનુસંધાન સંસ્થા, ભુવનેશ્વરના વૈજ્ઞાનિકોએ એક પેપ્ટાઇડ વેક્સીન તૈયાર કરી છે જેને લઈને દાવો છે કે તે ભવિષ્યમાં કોરોના વાયરસના કોઈપણ વેરિયન્ટ વિરુદ્ધ બીમારીથી રક્ષા કરી શકે છે. વૈજ્ઞાનિકોના રિસર્ચનો જર્નલ ઓફ મોલિક્યૂલર લિક્વિડ્સે પ્રકાશન માટે સ્વીકાર કર્યો છે.

રિસર્ચરોએ કહ્યું કે, અમે એક એવા મલ્ટી એપિટોપ મલ્ટી ટાર્ગેટ કાઇમેરિક પેપ્ટાઇડ તૈયાર કર્યું છે જે કોરોના વાયરસના બધા 6 મેમ્બર (hCoV-229E, hCoV-HKU1, hCoV-OC43, SARS-CoV, MERS-CoV) વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરવામાં સક્ષમ હશે. કાજી નજરૂલ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ ચૌધરી અને સુપ્રભાત મુખર્જી તેમજ IISER ભુવનેશ્વરના પાર્થ સારથી સેન ગુપ્તા, સરોજ કુમાર પાંડા અને મલય કુમાર રાણાએ કહ્યું કે, ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીન અત્યાધિક સ્થિત છે. એન્ટિજિનેટિક અને ઇમ્યૂનોજેનિક જોવા મળી છે.

ચૌધરીએ કહ્યું કે, રિસર્ચરોની ટીમે કમ્પ્યૂટેશનલ મેથડ દ્વારા આ વેક્સીન વિકસિત કરી છે અને આગામી ચરણમાં વેક્સીનનું પ્રોડક્શન સામેલ હશે ત્યારબાદ તેના ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવશે. તેમણે ન્યૂઝ એજન્સી PTIને કહ્યું હતું કે, આ વેક્સીન પોતાની રીતે અનોખી છે. દુનિયામાં કોઈ અન્ય વેક્સીન એક જ સમયમાં કોરોના વાયરસના બધા વરિયન્ટને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી નથી. સંશોધનકર્તાઓએ પહેલા 6 અલગ-અલગ વાયરસના સ્પાઇક પ્રોટીનમાં અલગ-અલગ સંરક્ષિત ક્ષેત્રોની ઓળખ કરી હતી જે ખૂબ ઓછા ઉત્પરિવર્તનમાંથી પસાર થાય છે અને આ રીતે મહામારી દરમિયાન થોડું બદલાય જાય છે.

ભારતમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો કેસો સતત ઘટતા જઈ રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી પણ ઓછાં કેસ સામે આવ્યા છે. દેશમાં રવિવારે 83,876 કેસ સામે આવ્યા હતા જોકે આ દરમિયાન 895 લોકોના મોત પણ થયા. આ પહેલા શનિવારે દેશમાં કોરોનાના 1 લાખ 07 હજાર 474 કેસ સામે આવ્યા હતા અને આ દરમિયાન 865 લોકોના મોત પણ થયા હતા. રવિવારે દેશમાં 1,99,054 લોકો સાજા થયા. એક્ટિવ કેસ પણ ઘટીને 11,08,938 રહી ગયા છે. ભારતમાં અત્યારસુધી 5.02 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights