વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા ઝાલોદ ખાતે પુનમની તિથી નિમિતે ગાય દાન કરવામાં આવી.

આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ નગર ખાતે આવેલી વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા અવાર નવાર તહેવાર નિમિત્તે જરૂરીયાત મંદોને દાન આપતા રહ્યાં છીએ.


આપણે જાણીએ છીએ કે ગાય દાન કરવુંએ મહાદાન છે પણ પશુ ને સારી રીતે રાખે અને તેમની સારી રીતે સેવા કરે તેવા વ્યક્તિઓને દાન અપાય છે એજ રીતે આજના રોજ વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા જરૂરિયાત મંદ જેમને કોઈ પણ જાતનો સહારો નથી તેવા વિધવા બહેનને આજ રોજ પુનમ ની તિથી નિમિતે ગાય દાન જેવું મહાદાન આપવામાં આવ્યું છે અને તેમના પુત્રને પણ વસ્ત્રોનું દાન અને સાથે અન્નનું દાન પણ કરવામાં આવ્યું છે.

આ ગાય દાનથી તે વિધવા બહેનને પોતાના ગુજરાન માટે થોડું મદદ રૂપ રહેશે અને તેમની સેવા પણ સારી રીતે કરશે અને તેમનું પુરતું ધ્યાન રાખશે તેનું અન્ન પાણી પણ સારી રીતે કરશે અને તેનાથી તેમને પુરતું દૂધ મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page