વાવાઝોડાએ ગીર સોમનાથના ગીરગઢડા – ઉના તાલુકાના લોકો માટે મોટી મુશ્કેલી બનીને આવ્યો છે. વાવાઝોડાના 12 દિવસ બાદ પણ બંન્ને તાલુકાના અનેક ગામોમાં હજુ પણ અંધારપટ છવાયેલો છે. હજુ વિજ પુરવઠ્ઠો પુર્વવત નહી થયો હોવાથી ગામમાં ખુબ જ મુશ્કેલી પડી રહી રહી છે. જેમાં ગીરગઢડા સોનપરા ગામમાં 12 દિવસથી વિજળી ડુલ છે. તથા ગામમાં 12 દિવસમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે.

ગીર જંગલની બોર્ડર પર આવેલા ગીરગઢતા તાલુકાના સોનપરા ગામના 4 હજારથી વધારે ગામના લોકો વિજળી માટે ટળવળી રહ્યા છે. ગામના સરપંચના અનુસાર ભારે ઉનાળા અને ઉકળાટના કારણે લોકોને પારવાર મુશ્કેલી થઇ રહી છે. ગામમાં વિજળી વગર છેલ્લા 12 દિવસમાં 10 લોકોનાં જીવ ગયા છે. વહેલી તકે ગામના વિજ પુરવઠ્ઠો પુર્વવત કરવાની માંગણી કરી રહ્યા છે.

21 મી સદીમાં પણ આ ગામલોકો વિજળી વગર રહેવા માટે મજબુર બન્યા છે. 4500થી વધારે વસ્તીના આ ગામમાં લાઇટ ડુલ થયા બાદ એક પણ વિજ અધિકારી ફરક્યો નથી. તંત્ર દ્વારા ઝડપથી વિજ પુરવઠ્ઠો પુર્વવત કરવા માટે સરપંચ દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે. જો કે આ કચેરીઓ પરથી તેમને સરકારી વચનો અને સિવાય કાંઇ જ પ્રાપ્ત નથી થઇ રહ્યું. સરપંચનો દાવો છે કે ગામના 10 લોકોનાં મોત થયા છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page