નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હવે તેના અંત ભણી છે પણ સૌથી મોટો ડર પ્રથમ લહેર જેવો છે જયાં આપણે વિજયની જાહેરાત કરી દીધા બાદ બિન્દાસ થઈ ગયા અને હવે સપડાયા છીએ અને આથીજ હવે સરકાર માસ્ક ફરજીયાતને તો હાલ યથાવત જ રાખવા માંગે છે પણ હવે ડબલ માસ્ક ફરજીયાત કરવા જઈ રહી છે જેમાં એક એન-95 માસ્ક હોય તે પણ જરૂરી હશે.
કોવિડ 19 ને કોવિડ 21 બનાવી દેવો અને હવે તે કોવિડ 22 પણ બની શકે છે. સરકાર માને છે કે લોકોને ડબલ માસ્ક ઉપરાંત ઘરોમાં ઓફીસમાં ક્રોસ વેન્ટીલેશનને પણ મહત્વ આપવું પડશે. કોરોના કાળમાં પણ એરક્ધડીશન્ડ ચાલું રહ્યા છે પણ જો ક્રોસ વેન્ટીલેશન એટલે કે હવાની અવરજવર જો મુક્ત હોય તો 20-30 દિવસમાં કોરોનાના કેસ 80% જેટલા ઘટાડી શકશે.
સરકાર ડબલ માસ્કના અંદરના ભાગે એન 95 અને ઉપરમાં મેડીકલ માસ્કને શ્રેષ્ઠ ગણે છે અને મોટાભાગે બંધીયાર હવાથી કોરોનાનું સંક્રમણ વધે છે તેથી ઘર-ઓફીસમાં બારીઓથી હવાની અવરજવર સતત રહે તો પછી વાયરસને ફેલાવાનું કારણ ઘટશે. જે લોકોથી લોકોનો સંપર્ક ઘટી જાય અને ડબલ માસ્ક વેન્ટીલેશન પણ યોગ્ય હોય તો 20 દિવસમાં કોરોનાને વિદાય આપી શકાશે. કોવિડ એ હવાથી ફેલાતુ સંક્રમણ બની ગયું છે. સરકારે યોગ્ય ગુણવતાના માસ્કની ઉપલબ્ધી વધારવી જોઈએ. માસ્ક વિકલ્પ રૂમાલ કે તેવી સ્થિતિ બની શકે નહી અને તેથી આ ગુણવતાના માસ્ક શકય તેટલા સસ્તા અને સહેલાઈથી ઉપલબ્ધ બને તે જોવું જરૂરી છે. આ તમામ વચ્ચે વેકસીનને ઝડપી ઉપલબ્ધ બનાવીને લાંબા સમયે કોરોનાને સાવ ખત્મ કરી શકાશે.