Thu. Apr 25th, 2024

અંજાર-આદિપુર માર્ગે પર નશાની હાલતમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ પલટી

By Jantanews360 Team Feb7,2022

Kutch:અંજાર-આદિપુર માર્ગે પર નશાની હાલતમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.લોકોએ ચાલકને જીપમાંથી બહાર કાઢતા તે પીધેલ નશાયુક્ત હાલમાં હોવાનું સામે આવ્યું હતું.



અંજારથી આદિપુર તરફ જતા માર્ગે ગઈ કાલે રવિવારે સાંજે 6 વાગ્યા ના અરસા મા બોલરે જીપકાર પુરઝડપે આગળ વધી રહી હતી. ત્યારે માર્ગ વચ્ચેના એક બ્રિજ પરથી નીચે ઉતરી પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે માર્ગ પરથી પસાર થતા લોકોની ભીડ એકઠી થઈ જવા પામી હતી. અને અકસ્માતગ્રસ્ત જીપમાંથી ચાલકને બહાર લાવી બચાવી લેવાયો હતો. જોકે આ વેળાએ ચાલક પીધેલ નાશયુક્ત હાલતમાં હોવાનું લોકોને જણાઈ આવતા તેનો વીડિયો રેકોર્ડિંગ કરતા ડ્રાઈવર ચાલકે પોતે દારૂ પીધો હોવાની કબૂલાત પણ કરી હતી.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights