છેલ્લા બે વર્ષથી કોરોના નામક મહામારીએ સમગ્ર વિશ્વને ચપેટમાં લીધું છે,હાલ પણ કેટલાક દેશો એવા છે કે જે કોરોના સામે જંગ લડી રહ્યા છે.ભારતની વાત કરવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર આવાના આરે છે. સાઉથ આફ્રિકામાંથી આવેલું નવું વેરિયન્ટ ઓમ્રીકોન ભારતમાં સક્રિય બન્યું છે.ત્યારે ડોકટરોએ પોતાની જાનની પરવા કર્યા વગર લોકોને કોરોનાથી બચાવ્યા છે અને સારવાર આપી છે.જેની માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના જ નહિ પણ વિશ્વના તમામ ડોક્ટરોને કોરોના વોરિયરનો બીરદુ આપ્યું હતું.સરકારે પણ કોરોના કાળમાં ડોકટરોને ઘણા વાયદાઓ અને વચનો આપ્યા હતા.
મહત્વનું છે કે,સરકાર દ્વારા આ વાયદાઓ અને વચનો ભુલાઈ ગયા હોય અને ડોકટરોને હાજી પણ કોઈ જાતની મદદ ન મળી એવું લાગી રહ્યું છે.આજે અમદાવાદમાં ડોકટરો દ્વારા ઇન્કમટેક્ષ ચાર રસ્તાથી કલેકટર કચેરી સુધી પદયાત્રા કરીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે તેમની પડતર માંગણીઓ જેવી કે ૧. કરાર આધારિત ભરતી બધ કરવામાં આવે. ૨. સરકાર દ્વારા ડોકટરોને કરવામાં આવેલા વચનોનું પાલન કરવામાં આવે. ૩. સાતમાં પગાર પંચનું અમલીકરણ વહેલી તકે કરવામાં આવે. ૪. ડોક્ટરોનું શોષણ બંધ કરવામાં આવે.
GMT પ્રેસીડેન્ટ ડો.રજનીશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કેટલાક અધિકારઓ અને નેતાઓએ ડોકટરો સાથે છેતરપીંડી રૂપ કાર્ય કર્યું છે. પહેલા વચનો આપી અને કામ કરાવી લીધું અને હવે બધા વચનો ભૂલી ગયા છે. ગુજરાતના ૧૦,૦૦૦ ડોકટરો સાથે ગુજરાતની સરકારે છેતરપીંડી કરી છે. જો આ આવેદન પત્રને ધ્યાનમાં નહિ લેવામાં આવે અને ડોક્ટરોની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો,અમે સરકાર વિરુદ્ધ કડક પગલા લઈશું.