આણંદ નજીક ટ્રક અને કાર ભટકાતા એક જ પરિવારના 10 સભ્યોનું કરૂણ મોત

0 minutes, 0 seconds Read

આણંદ: આણંદ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે દુ: ખદ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 9 લોકોનું ઇકો કારમાં કરૂણ મોત નિપજ્યું છે. આ અકસ્માત તારાપુર ઇન્દ્રજ નજીક બન્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સવારે 6 થી 6.30 ની વચ્ચે થયો હતો. ઇકો વાહન નંબર GJ 10 VT 0409 અકસ્માતમાં સામેલ થયો હતો. ભાવનગરનો પરિવાર એક ઇકો કારમાં સુરતથી ભાવનગર જઇ રહ્યો હતો. ઇકો કારમાં એક જ પરિવારના 9 સભ્યો હતા. તારાપુરથી 15 કિલોમીટર દૂર બગોદરા નજીક કાર ટ્રક સાથે ટકરાઈ હતી. ઇકો કાર ભાવનગર તરફ જઈ રહી હતી અને ટ્રક બગોદરા તરફ જઈ રહી હતો. દરમિયાન, અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા તમામ 9 લોકોનાં મોત નીપજ્યાં છે.

જોકે, પરિવારની ઓળખ હજી જાણવા મળી નથી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર ગયો હતો. ઘટનાને પગલે તારાપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ મૃતકોને તારાપુર રેફરર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights