opindia.com

ખેરાલુમાં એક યુવકે કિશન ભરવાડનું સ્ટેટસ મૂક્યું, 15 લોકોએ કર્યો હુમલો, 7ની ધરપકડ

ધંધૂકામાં રહેતા કિશન ભરવાડ નામના એક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કારણે મુસ્લિમ ધર્મના એક યુવકની લાગણી દુભાઈ હોવાના કારણે તેને કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ત્યારે આવી જ ઘટના ખેરાલુમાં બનવા પામી છે. આ ઘટનામાં ખેરાલુના કાજીવાડામાં રહેતા એક યુવક પર 10થી 15 ઇસમોએ કિશન ભરવાડની પોસ્ટ મૂકવા બાબતે મનદુઃખ રાખીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને 7 લોકોની ધરપકડ કરી છે.

રિપોર્ટ અનુસાર ખેરાલુના કાજીવાડામાં અક્ષત કડિયા નામનો યુવક તેના પરિવારના સભ્યોની સાથે રહે છે. અક્ષત દ્વારા 15 દિવસ પહેલા તેના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કિશન ભરવાડની એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ અપલોડ કર્યાની અદાવતને લઇને 15 જેટલા લોકોએ અક્ષત પર હુમલો કર્યો હતો. મંગળવારની રાત્રે અક્ષત પર બહેલીમ હિદાયત, બહેલીમ જાબીર સહિત 15 ઇસમોના ટોળા દ્વારા આ યુવકને ઘરમાં ઘૂસીને માર મારવામાં આવ્યો હતો અને તેના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી.

કિશન ભરવાડની પોસ્ટ મુકવા બાબતે યુવક પર હુમલો થયો હોવાની જાણ SP સુધી પહોંચતા મહેસાણાના SP ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તેમને પીડિત યુવાન અક્ષત કડીયાનું નિવેદન લીધું હતું. ત્યારબાદ હિદાયત બહેલીમ, જાબીર બહેલીમ સહિત 10થી 15 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં પોલીસ દ્વારા જાબીરખાન બહેલીમ, હિયાદતખાન આઝમખાન બહેલીમ, મહંમદમુનાફ મીસરીખાન બહેલીમ, મોઈનમિયાં કાજી, હમીદખાન બહેલીમ, શાહરૂખખાન મલેક નામના ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટનાને લઇને SP પાર્થરાજસિંહ ગોહિલનું કહેવું છે કે, આ ઘટનાને લઇને વિસનગરમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ અને SOGનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસને ફૂટ પેટ્રોલિંગ કરવાની પણ સુચના આપવામાં આવી છે. અગાઉ પણ ખેરાલુના આ પ્રકારના ત્રણથી ચાર કિસ્સાઓ બન્યા હતા. તેને લઇને એક PSIની બદલી પણ કરી દેવામાં આવી છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, થોડા દિવસો પહેલા ખેરાલુના ખોખરવાડમાં રહેતા 17 વર્ષના વિદ્યાર્થી કીર્તન કુમારને હમીદ બહેલીમ નામના ઇસમે ધમકાવ્યો હતો કે તું સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મની શ્રી રામ વાળી સ્ટોરી ડિલીટ કર નહીં તો મોટો ઝઘડો થઇ હશે. તેથી આ ઘટનાને લઇને પણ SP પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા યુવકની ફરિયાદ લઇને હમીદ બહેલીમની ધરપકડ કરીને તેને જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે બંને પક્ષના આગેવાનોની બેઠક બોલાવી હતી અને કાયદો હાથમાં ન લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights