ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી નવ હજાર જેટલા વિધાસહાયકોની જગ્યા ખાલી છે તેમ છતાં ભરતી કરવામાં આવતી નથી. જેના વિરોધમાં સોમવારે ટેટ -1 અને ટેટ-2 પાસ કરેલા ઉમેદવારો ગાંધીનગર ખાતે રજૂઆત કરવા એકત્ર થયા હતા.
આ ઉમેદવારો દ્વારા 40 વખત સરકારને રજૂઆત કરવામાં આવી છે. જો કે તેમ છતાં સરકારે આ અંગે કોઇ હકારાત્મક વલણ અપનાવ્યું નથી. જેના પગલે આજે 41 મી વખત રજૂઆત કરવા આ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.