Fri. Apr 26th, 2024

ગુજરાતમાં આવેલા કેજરીવાલને લાગ્યો દિલ્હીથી ‘ઝટકો’

By Jantanews360 Team Jul21,2022

આપ અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન કેજરીવાલે સુરતમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી. ગુજરાતમાં વીજળીની જાહેરાત કરી રહેલા કેજરીવાલને દિલ્હીથી આંચકો લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે જણાવ્યું હતું કે, સરકાર બનવાના ત્રણ મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. જો દિલ્હીમાં મળી શકે, પંજાબમાં મળી શકે તો ગુજરાતમાં પણ મળી શકે છે. બીજી ગેરન્ટી કે વીજળી 24 કલાક મળશે અને મફત પણ મળશે. પાવરકટ નહીં લાગે. જોકે, આ જાહેરાત બાદ તેમને દિલ્હીથી એક આંચકો લાગ્યો હતો.

નોંધનીય છે કે, ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ‘આઠમી વર્લ્ડ સિટી સમિટ એન્ડ ડબ્લ્યુસીએસ મેયર્સ ફોરમ’માં હાજરી આપવા માટે સિંગાપોરની મુલાકાત અંગેની દરખાસ્ત પરત કરી દીધી છે. સાથે જ ઉપરાજ્યપાલે તેમને એવી પરિષદમાં ભાગ ન લેવાની સલાહ આપી છે જે પ્રથમ દૃષ્ટિએ મેયરોની કોન્ફરન્સ લાગે છે, જેમાં મુખ્યમંત્રીની હાજરી યોગ્ય નથી. ફોરમ વિશે અને અન્ય હાજરી આપનારાઓની પ્રોફાઇલનો અભ્યાસ કર્યા બાદ તેમજ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવતા વિષયો અંગે એલજીએ ધ્યાન દોર્યું છે કે, કોન્ફરન્સ શહેરી તંત્રના વિવિધ પાસાઓને આવરી લેશે જે દિલ્હીના કિસ્સામાં એનડીએમસી, એમસીડી, ડીડીએથી લઈને વિવિધ નાગરિક સંસ્થાઓ દ્વારા સંબોધવામાં આવે છે. તેમજ કોન્ફરન્સના ભાગ રૂપે આયોજિત ડબ્લ્યુસીએસ સ્માર્ટ સિટી વર્કશોપ અંગે નિર્દેશ કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એનડીએમસી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.

 

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights