Thu. Apr 25th, 2024

બે-ત્રણ મહિનામાં બધાને રસી મળી જાય તે શક્ય નથી: પૂનાવાલા

By Shubham Agrawal May19,2021

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ આદર પૂનાવાલાએ પોતાના દેશના લોકોને નજરઅંદાજ કરી બીજા દેશોમાં વેક્સીન નિકાસ કયર્નિા આરોપોને ફગાવી દીધા છે. તેમણે આ અંગે મંગળવારે સ્પષ્ટતા કરી. પૂનાવાલાએ કહ્યું કે, તેમણે ક્યારેય દેશના લોકોના હિતોને નજરઅંદાજ કરી વેક્સીનની નિકાસ નથી કરી. સીરમએ કોવિશીલ્ડ બનાવી છે. સીરમ વેક્સીન બનાવતી દુનિયાની સૌથી મોટી કંપ્ની છે.

એસઆઈઆઈએ એક સ્ટેટમેન્ટમાં જારી કર્યું છે કે, અમે ફરી એકવખત એ કહેવા ઈચ્છીએ છીએ કે અમે ક્યારેય ભારતીય લોકોના હિતોને નજરઅંદાજ કરી વેક્સીનની નિકાસ નથી કરી. અમે દેશમાં રસીકરણ અભિયાનમાં સહકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે તેના માટે શક્ય તમામ પ્રયાસ કરીશું.

પૂનાવાલાએ કહ્યું કે, ભારત ઘણી વધારે વસ્તીવાળો દેશ છે. એટલે અહીં બે અને ત્રણ મહિનામાં રસીકરણ અભિયાન પુરું થઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, તેમની કંપ્ની કોવેક્સીનનું ઉત્પાદન વધારવાના પ્રયાસો ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, સીરમ આ વર્ષના અંત સુધીમાં બીજા દેશોને વેક્સીનની નિકાસ શરૂ કરશે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights