બોરસદમાં પેસેન્જર ભરેલી બસ ધડાકા સાથે ઘૂસી ગઈ ઘરમાં

બોરસદમાં પેસેન્જર ભરેલી ખાનગી બસ સંસ્કાર નગરી સોસાયટીના રહેણાંક મકાનમા ધડાકાભેર બસ ઘુસી ગઈ હતી. આ ઘટનામાં મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. મકાનની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે. જોકે, આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં બસનો અકસ્માત જોઇ શકાય છે.

વિગત મુજબ, બોરસદ રોડ ઉપર આવેલા વહેરા ગામની સંસ્કાર સોસાયટીમાં વહેલી પરોઢે તમામ લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે અચાનક મેહુલ ઈશ્વરભાઈ પટેલના ઘરમાં એક ખાનગી લકઝરી બસ ઘુસી ગઈ હતી. 35 થી વધું પેસેન્જરને લઈને મુંબઈ થી ભાવનગર જતી આ બસ અચાનક ઘરમાં ઘુસી જતા રહેણાંક વિસ્તારના નાગરિકો અને પેસેન્જરોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. તેને લઈ ડ્રાઈવર અને ગાડી સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

 

સ્થાનિકોના જણાવ્યાં મુજબ દક્ષિણ ગુજરાત અને મુંબઈ થી સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ખાનગી બસો ડાભાસી ખાતે આવેલા ટોલનાકાની રકમ બચાવવા આવી રીતે અંતરિયાળ ગામમાંથી પેસેન્જરોનો જીવ જોખમમાં મૂકી પસાર થાય છે. ડભાસી ટોલ નાકે રકમ ભરવી ન પડે તે માટે વહેરા, કાવીઠા ગામ થઈ પેટલાડના માણેજ તરફ નીકળે છે.

અન્ય એક સ્થાનિકે ગંભીર બાબત તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે, આ ખાનગી બસ જો આ ઘરમાં ન ઘુસાડી હોત તો ત્યાં નજીક જ આવેલી ઈલેક્ટ્રિક ડીપીમાં પટકાઈ હોત અને મોટી દુર્ધટના સર્જાઈ હોત. ટોલની રકમ બચાવવા અથવા અન્ય કારણોસર આ રીતે બસ ચલાવનારા બસ સંચાલકો અને ડ્રાઈવરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ સ્થાનિકોમાં ઉઠી છે. મહત્વનું છે કે, બોરસદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights