Thu. Apr 25th, 2024

રાજકોટ / આરોગ્ય વિભાગ આંકડા છૂપાવતો હોવાનો ગ્રામજનોનો આરોપ, નાનકડા ગામ ફરેણીમાં ડેન્ગ્યુનો આતંક

By Shubham Agrawal Sep19,2021 #Rajkot

સૌરાષ્ટ્રના લોકોની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. પાણીમાં ડૂબેલા અમુક વિસ્તારોને ખુબ તકલીફ પડી રહી છે. ભારે વરસાદમાં રોડ-રસ્તા, ઘર-ખેતર પાણીમાં ડૂબી ગયા બાદ હવે મચ્છરજન્ય રોગનો ભય વધ્યો છે.

ઘણા ગામ અને વિસ્તારમાં આ બાબતે ફરિયાદ જોવા મળી રહી છે. એવા જ એક રાજકોટના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે નાના ગામમાં હાલમાં ડેન્ગ્યુના 60 જેટલા કેસ છે.

પરંતુ આરોગ્ય વિભાગ દર્દીઓની સાચી સંખ્યા છુપાવી રહ્યું છે. ફરેણીના રહેવાસીઓનો આક્ષેપ છે કે ડેન્ગ્યુની બીમારીને નાથવાની કામગીરીમાં ધોરાજી તાલુકાનો આરોગ્ય વિભાગ નિષ્ફળ ગયો છે. તો સામે પક્ષે આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હાલ ગામમાં ફોગિંગની અને દવા છાંટવાની કામગીરી ચાલી જ રહી છે.


સાથે જ વિભાગ દ્વારા ડેન્ગ્યુને લઈને લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. જાહેર છે કે ઓછી વસ્તી ધરાવતા ફરેણી ગામમાં વધુ કેસ હોવાનું ગ્રામવાસીઓનું કહેવું છે. એક નાગરિકે કહ્યું કે નાનકડા ગામમાં ઘરે ઘરે દર્દી છે.

ત્યારે આરોગ્ય વિભાગ સાચા આંકડા છૂપાવી રહ્યો છે. ત્યારે ગામમાં કોઈ સુવિધા ન આપવા હોવાની વાત પણ ગ્રામજનો એ કહી છે. સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવામાં મચ્છરજન્ય રોગોનું જોખમ પણ વધ્યું છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights