રાજકોટ : કોરોના કાળમાં એલઓસી પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક ભારતીય અધિકારી સહિત 20 લોકો માર્યા ગયા હતા. આખી ઘટના બાદ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટના રમકડા ઉદ્યોગ દેશમાં રમકડા બજારમાં ક્રાંતિ લાવશે.
કોરોના સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનની હાકલ કરી છે. દેશમાં ચીની ચીજોનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ભારત અને ચીની સૈન્ય વચ્ચેના ઘર્ષણ પછી શરૂ થઈ હતી. રમકડા એ નાના બાળકોના પ્રિય હોય છે. આમ, નાના બાળકોના જન્મ સાથે, કુટુંબ રમકડાંથી ઘર ભરી દે છે. પહેલાં ચીનમાં રમકડાંનું ઉત્પાદન સૌથી વધારે હતું, પરંતુ હવે રંગીન રાજકોટ પણ રમકડા બનાવવામાં માહિર થયુ છે.
અદિતિ ટોયઝ પ્રા.લિ.ના ડાયરેક્ટર. રાજકોટ, વિવિધ સરકારી યોજનાઓની મદદથી તેમનાં સાહસો દ્વારા રમકડા ઉદ્યોગમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેમાં 200 કર્મચારી સહિત 700 મહિલાઓને રોજગારી મળે છે. ભારતમાં 12 હજાર કરોડના રમકડાના માર્કેટને ધ્યાને લઈને 2014 માં રમકડાં બનવવાની સાથે ફેક્ટરી શરૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ રમકડાં વિદેશ પણ જતા હોય છે. ભારત સિવાય અમે આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના ઘણા દેશોમાં રમકડાંની નિકાસ કરી રહ્યા છીએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં કહ્યું, “આપણા દેશમાં સ્થાનિક રમકડાઓની સમુદ્ધિ અને પરંપરા છે, જેમાં કેટલાક પ્રતિભાશાળી અને કુશળ કારીગરો છે જે સારા રમકડા બનાવવા માટે કુશળ છે.” રમકડા વિશે વાત કરતા તેમણે કહ્યું કે ગુરુદેવ રવિન્દ્ર નાથ ટાગોરે ચર્ચા કરી હતી કે રમકડા તે જ હોવા જોઈએ જે બાળકોનું બાળપણ બહાર લાવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજકોટમાં રમકડા પાર્ક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જેના ભાગરૂપે રાજકોટ, અમદાવાદ અને વડોદરા ખાતે એક ડિમાન્ડ સર્વ જી.આઈ.ડી.સી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે.