લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજિક રીતે અસ્વીકાર્ય:પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ

0 minutes, 0 seconds Read

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક અરજીને ફગાવતા જણાવ્યું છે કે લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજિક રીતે સ્વીકાર્ય નથી. આ અરજી ભાગી ગયેલા યુગલ દ્વારા રક્ષણ મેળવવા માટે કરવામાં આવી હતી. ૧૯ વર્ષીય ગુલઝા કુમારી અને ૨૨ વર્ષીય ગુરવિંદર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ સાથે જ રહે છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

તેમણે આ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે તેમને કુમારીના માતાપિતા તરફથી જાનનો ખતરો છે. ન્યાયમૂર્તિ એચ એસ મદને પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ અરજી પરથી એવુ લાગે છે કે અરજકર્તા પોતાના લિવ ઇન રિલેશનશીપને મંજૂર રાખવાની માગ કરી રહ્યાં છે. જે નૈતિક  અને સામાજિક રીતે સ્વીકાર્ય નથી. લિવ ઇન રિલેશનશીપમાં રહેતા યુગલની સુરક્ષા કરવા માટે આદેશ જારી શકાય નહીં.

અરજકર્તાના વકીલ જે એસ ઠક્કરના જણાવ્યા અનુસાર સિંહ અને કુમારી તર્ન તરન જિલ્લામાં એક સાથે રહે છે. વકીલના જણાવ્યા અનુસાર કુમારીના માતાપિતા લુધિયાણામાં છે અને તેમને પોતાની દીકરીનું લિવ ઇન રિલેશનશીપ મંજૂર નથી.

વકીલના જણાવ્યા અનુસાર યુગલ એટલા માટે પરણી શકતા નથી કારણકે કુમારી પાસે ઉંમર સહિતના દસ્તાવેજો નથી અને આ દસ્તાવેજો તેના માતાપિતાના કબજામાં છે અને તેઓ તેને આ દસ્તાવેજો આપી રહ્યાં નથી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતમાં ભિન્ન મત ધરાવે છે. મે, ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બનેલી ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે પુખ્ય વયના યુવક અને યુવતીને લગ્ન કર્યા વગર સાથે રહેવાનો અધિકાર છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights