વેક્સિન માટે ફરી બદલાશે નિયમ, કોરોનાથી રિકવર થયા બાદ વેક્સિન માટે જોવી પડશે 9 મહિના રાહ

0 minutes, 0 seconds Read

કોરોના વાયરસને માત આપવા માટે દેશમાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે વેક્સિનની નીતિઓમાં સતત ફેરફાર પણ થઈ રહ્યો છે. આ સંજોગોમાં જો હવે કોઈ વ્યક્તિને કોરોના થાય તો રિકવર થયાના આશરે 9 મહિના બાદ જ તેને વેક્સિન અપાશે. ટૂંક સમયમાં જ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) આ અંગે નિર્ણય લઈ શકે છે. ગ્રુપે રિકવરીના 9 મહિના બાદ જ વેક્સિન લગાવવાનું સૂચન કર્યું છે.

તાજેતરમાં જ કોરોનાથી સાજા થયેલા લોકો માટે વેક્સિન આપવાનો સમય 6 મહિના બાદનો નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે હવે તેને લંબાવીને 9 મહિના કરવામાં આવી શકે છે. એક્સપર્ટ ગ્રુપે તથ્યોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું સૂચન કર્યું છે.

ભારતમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન રીઈન્ફેક્શનનો રેટ 4.5 ટકા સુધીનો હતો. આ દરમિયાન 102 દિવસનું અંતર જોવા મળ્યું હતું. કેટલાક દેશોમાં કરવામાં આવેલા અભ્યાસમાં કોરોના સંક્રમણ થયાના 6 મહિના સુધી ઈમ્યુનિટી રહે છે માટે એટલો સમય જરૂરી છે તેવું સામે આવ્યું હતું.

કોરોના મહામારી હજુ પણ ચાલુ છે તેવામાં રીઈન્ફેક્શનની સંભાવના પણ છે. આ સંજોગોમાં જો કોઈએ રસીના પહેલા કે બીજા ડોઝ માટે રાહ જોવી પડે તો તે ફાયદાકારક પણ બની શકે છે. ગર્ભવતી મહિલા પાસે ડિલિવરી બાદ વેક્સિન લેવાનો ઓપ્શન છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights