સુરત / સીલ કરાયેલી બિલ્ડીંગમાં 3 બાળકો કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી

0 minutes, 0 seconds Read

સુરતથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. 3 કોરોના પોઝિટીવ કેસ આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જી હા આમાં ચિંતાજનક બાબત એ છે કે 3 બાળકોને પોઝિટિવ કેસ આવ્યા છે. અગાઉ મેઘમયુરમાં એક સાથે 9 લોકોને પોઝિટિવ કેસ આવ્યા હતા. ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગના બાળકો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ બાદ સુરતમાં કોરોનાએ ફરી દેખાયો છે. કોરોનાના કેસોની વધતી સંખ્યાને લઈને પણ તંત્ર ચિંતિત છે. આજે સીલ કરાયેલી બિલ્ડીંગમાં વધુ 3 બાળકો કોરોના સકારાત્મક આવતા તંત્ર દોડતું થયું.

તમને જણાવી દઈએ કે અગાઉ આવિષ્કાર રેસીડન્સીમાં 11 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. જેમાં 5 બાળકો હતો. બાદમાં ત્યાના 44 ફ્લેટોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અહીંયા હવે વધુ કેસ નીકળી આવતા આજુ બાજુના વિસ્તારમાં ફફડાટ છે.આ સિવાય અઠવા ઝોનમાં મેઘ મયુર એપાર્ટમેન્ટને પણ સીલ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં કોરોના પોઝિટિવના 9 કેસ પણ નોંધાયા હતા. બાદમાં પણ સીલ કરવામાં આવ્યું છે.

 

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights