કૃષિ ક્ષેત્રે કામ કરતા મજૂરોનું લઘુત્તમ વેતન રૂ.168થી વધારી હવે રૂ.268 કરી દેવામાં આવ્યું છે.

1 જાન્યુઆરી 2021થી વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નનના જવાબમાં વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમા સરકારે જવાબ આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં કૃષિ ક્ષેત્રે કામ કરતા મજુરોના વેતનદરમા વધારો કરાયો છે. પહેલાં લઘુત્તમ વેતન અત્યાર સુધી 168 રુપિયા મળતા હતા. જે વધારીને 1-1-2021ના રોજ ભાવ વધારીને સરકારે 268 રુપિયા કર્યા છે.
આ ઉપરાંત રાજ્ય સરકારે ગૃ઼હમાં કહ્યું કે, લૉકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટે રાજ્ય સરકારે પશ્ચિમ રેલવેને રૂ.6.86 કરોડ ચૂકવ્યા છે. અમદાવાદથી 185 ટ્રેન મારફતે 2.69 લાખ લોકોને મોકલ્યા છે. અને જામનગરથી 16 ટ્રેનમાં 22,501 શ્રમિકોને મોકલ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સવાલે સરકારે ગૃહમાં લેખિત જવાબ આપ્યો હતો.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
