ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાહુલ હાલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.

મહત્વનું છે કે, 29 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી T-20 સિરીઝમાં કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. સિરીઝ શરુ થાયે તે પહેલાં જ કેએલ રાહુલ કોરોના પોઝિટીવ આવતાં ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ કેએલ રાહુલનું જર્મનીમાં સફળ ઓપરેશન થયું હતું. જે બાદ તે ઘરે પરત ફર્યો છે. અત્યારે રાહુલ નીતિન પટેલની દેખરેખ હેઠળ બેંગ્લોરમાં એનસીએમાં રિહેબિલિટેશન કરી રહ્યો છે. તાજેતરમાં એમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી ઝુલન ગોસ્વામીની બોલિંગ પર કેએલ રાહુલ બેટિંગ કરતો જોવા મળ્યો હતો. કેએલ રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022થી જ ક્રિકેટથી દૂર છે. રાહુલને ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીજ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ મેચ શરૂ થાય તે પહેલાં જ રાહુલ ઈજાના કારણે પાંચ મેચની સમગ્ર સિરીજમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી રાહુલને સમગ્ર ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર રહેવાની પણ ફરજ પડી હતી.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights