અમદાવાદ : ઉત્તરાયણને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, આ બાબતો પર લગાવ્યો પ્રતિબંધ
અમદાવાદ : એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે. બીજી તરફ આ મહામારી દરમિયાન આવતા પર્વની ઉજવણીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વખતો વખત કેટલી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ તહેવારોની ઉજવણી કરવામાં આવી છે. જ્યારે હવે ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ બાબતો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
– કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય જાહેર માર્ગ ફૂટપાથ કે ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા પર
– આમ જનતાની લાગણી દુભાવવા એ તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ લખી પતંગ ઉડાડવા ઉપર
-વાંસના બંબુઓ, લોખંડની પટ્ટી, લોખંડ કે અન્ય ધાતુના તારમાં લંગર બનાવી જાહેર માર્ગ કે ગલીઓમાં દોડા દોડી કરવા પર
– ટેલિફોન કે ઇલેક્ટ્રિક તાર પર લોખંડ કે અન્ય ધાતુમાં લંગર નાંખવા તેમજ પતંગ કે દોરી કાઢવા પર
– જાહેરમાર્ગો પર ઘાસચારોનું વેચાણ કરવા પર
– ચાઇનીઝ દોરીની આયાત, ખરીદ – વેચાણ કે સંગ્રહ કરવા પર, ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી પતંગ ઉડાડવા પર
– ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, સ્કાય લેન્ટરના ઉત્પાદન, ખરીદ વેચાણ કે તેનો ઉપયોગ પર / ઉડાડવા પર
– સરકાર દ્વારા પાડવામાં આવેલ ગાઇડલાઇનનું કડકપણે અમલ કરવાનો રહેશે
જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.