દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પોતાનું બજેટ રજુ કર્યું, જેમાં ડે.સીએમ અને નાણાંમંત્રી મનીષસિસોદીયાએ ઘણી મોટા પ્રમાણની જાહેરાતો કરી છે. આવનારા નવા વર્ષે દિલ્હીમાં મહિલાઓ માટે વિશેષ મોહલ્લા ક્લિનિક ઓપન કરવામાં આવશે. દિલ્હીના સરકારી હોસ્પિટલોમાં ફ્રી વેક્સિન ઉલબ્ધ કરવામાં આવશે, 50 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

ડે.સીએમ અને નાણાં મંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે દિલ્હીની અલગ-અલગ કોલોનીયાોમાં સરકારની તરફથી ધ્યાન અને યોગના પ્રશિક્ષક ઉપલબ્ધ કરવામાં આવશે. શહિદ પરિવાર માટે 26 કરોડનું બજેટ ફાળવાવમાં આવ્યું છે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે હોમ આઈસોલેશન અને પ્લાઝ્મા બેંક બનાવવી એ બંને નવીન વિચારો છે જેની શરૂઆત દિલ્હીએ કરી. ટૂંક સમયમાં જ અમે રોજની રસી 60000 લાગુ કરીશું જે આજ સુધી 45,000 છે.
દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે આ માટે સરકારી હોસ્પિટલમાં નિશુલ્ક રસી આપવામાં આવશે, રૂપિયા 50 કરોડની અલગ જોગવાઈ કરવામાં આવી છે. દિલ્હીના લોકોને હેલ્થ કાર્ડસ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં તેમની દરેક બીમારીની સંપૂર્ણ વિગતો હશે જેથી તેઓ ગમે ત્યારે ડોક્ટર પાસે જાય તો જૂની ફાઇલોનો ભાર ન વહન કરે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
