BHAVNAGAR : સર.ટી. હોસ્પિટલમાં દૈનિક ઓપીડી 1400એ પહોચી, શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું

0 minutes, 0 seconds Read

BHAVNAGAR : ભાવનગરમાં વાઈરલ ઇન્ફેકશન કેસ વધવા સાથે રોગચાળાએ માથું ઊંચક્યુ છે.સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. માત્ર સર.ટી હોસ્પિટલમા જ છેલ્લા સપ્તાહથી દૈનિક ઓપીડી 1400 એ પહોચી છે.

સતત વાદળછાયા વાતાવરણના લીધે મચ્છરોનો ઉપદ્રવ ફેલાઈ રહ્યો છે. સર.ટી હોસ્પિટલના દરેક વિભાગોની ઓપીડીમાં લાંબી કતારો જોવા મળી રહી છે. સર્જરીમાં 200 થી વધુ, ટીબીમાં 150ની ઓપીડી રહે છે.એકન્દરે કોરોના ધીમો પડતાની સાથે વાતાવરણને અનુલક્ષીને તાવ, ઉધરસ, ઉલ્ટી, પેટના દુખાવા સહિતની બીમારીઓ વધી છે.

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે રોગચાળો વધ્યો હોવાનું સ્વીકાર્યું છે. લોકોને ઉકાળેલું પાણી પીવું, વાસી ખોરાક ન લેવો તેમજ મચ્છરોથી બચવાની સલાહ અપાઈ રહી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights