રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરે જે હાહાકાર મચાવ્યો છે, તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તેવામાં ત્રણ મહિના બાદ આજે આશાનું કિરણ દેખાયું છે. ત્રણ મહિના બાદ આજે પહેલી વખત રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યનામ કોરોના વાયરસના નવા 12,955 કેસ […]
એક તરફ કોરોનાને કારણે સમગ્ર ગુજરાતમાં મિની લોકડાઉન જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે સાણંદના નવાપુરા, નિધરાડ અને કોલાટ ગામમાં નિયમોની ઐસી કી તૈસી કરી ધાર્મિક કાર્યક્રમોમાં સેંકડો લોકો એકત્ર થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. અમદાવાદ ગ્રામ્યના DySP કે.ટી. કામરિયાના જણાવ્યા અનુસાર, ગામના સરપંચ સહિત 23 લોકો સામે આ મામલે પગલાં લેવામાં આવ્યા છે. […]
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ૧૨૦૦-૧૩૦૦ વસ્તી ધરાવતા મોટા અંગિયા ગામે કચ્છના અન્ય ગામડાઓ તેમજ લોકોને એક નવી રાહ ચીંધી છે. કોરોના મહામારીનો પગપેસારો હવે ગામડાઓમાં પણ થઇ રહ્યો છે. ગામડાની રહેણીકરણી-પરંપરા વગેરે એવી છે કે લોકો એકબીજાના સંપર્કમાં વધુ આવતા હોય છે જેના કારણે ગ્રામીણ વિસ્તારો પણ સજાગ બને તથા કોરોનાને મ્હાત આપવા આગળ આવી […]
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે આપઘાત કર્યો છે. હોસ્પિટલના બોયઝ હોસ્ટેલમાં છઠ્ઠા માળે પોતાના રૂમમાં સિધ્ધાર્થ ભદ્રેચા નામના રેસિડન્ટ તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સિદ્ધાર્થ ભદ્રેચા ફાયનલ યરમાં અભ્યાસ કરતો હતો. રેસિડન્ટ તબીબ સિધ્ધાર્થ ભદ્રેચા પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. પાંચ દિવસ પહેલા જ કોવિડ વોર્ડમાંથી તેની ડયુટી પૂરી થઈ […]
કોરોનાની બીજી લહેર વચ્ચે સુરતમાં આશાનુ નવુ કિરણ દેખાયું છે. સતત વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાના મોતના આંકડા વચ્ચે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ 83.4 ટકા થયો છે. રિકવરી રેટ 10 દિવસ પહેલા 77.5 ટકા થયો હતો. જે તંત્ર માટે પણ રાહતના સમાચાર ગણી શકાય. […]
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. આપને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સરકાર તમારા ખાતાઓમાં 2000 રૂપિયા ક્રેડિટ કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ૮ માં હપ્તા […]
એક તરફ કોરોનાની બીજી લહેરે મોટા શહેરોને ઘેરી લીધું છે. તે જ સમયે, ગામડાઓ પણ કોરોનાની ચપેટમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે ગામડાઓમાં કોરોના ન ફેલાય તેવી કાળજી લેવી જોઈએ. પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ એવી છે કે કોરોના ગામડાઓમાં પણ ફેલાઈ રહ્યો છે. હમણાં સુધી, ઘણા ગામોમાં […]
અમરેલી : રેવન્યુ વિસ્તારમાં અજગરની કરવામાં આવી વિકૃત પજવણી અજગરની પજવણી કરી સ્થાનિક યુવાનોએ લીધો વિકૃત આનંદ… લોકોના ટોળા વચ્ચે બે થી ત્રણ યુવાનો અજગરની કરી રહ્યા છે પજવણી… બે યુવકે અજગરની બાજુમાં સૂઈ જઈ બહાદુરી બતાવવાનો કર્યો પ્રયાસ… અજગરની બાજુમાં સૂઈ કરાવી રહ્યા છે ફોટો સેશન… નાની બાળકીને પણ ફોટો પડાવવા લઈ ગયા અજગરની […]
*ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય* .. .. .. .. *અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ ૭ શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા […]
રાજ્યમાં અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૯ શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ રહેશે. આ ૩૬ શહેરોમાં તા. ૬ મે-૨૦૨૧ ગુરૂવારથી તા. ૧૨મી મે-૨૦૨૧ બુધવાર […]