દાહોદ નગરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું હતું. નગરના યોગ શીખવા ઇચ્છુક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર આ શિબિરમાં ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીની અધ્યક્ષતામાં આ યોગ શિબિર યોજાઇ હતી. યોગ શિબરમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ […]
દાહોદ – મળતી માહિતી મુજબ જીલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી ઓની હડતાલને પગલે અલગ અલગ ૨૫ પ્રકારનીઆરોગ્ય સેવાની ઓનલાઇન કામગીરી ઠપ થઈ ગઈ છે. આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવીને ઓનલાઇન કામગીરીનો રિપોર્ટ નહિ મોકલીને વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે હાલમાં માત્ર રોગચાળાની કામગીરી કરીને તેનો રિપોર્ટ મોકલવામા આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર […]
દેશભરના અન્ય રાજ્યોમાંથી AIIMSમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેલિમેડિસિન મારફતે નજીકના રાજ્યોની જિલ્લા હોસ્પિટલોને AIIMS સાથે જોડવાનો નિર્ણય લીધો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે AIIMS ખાતે તમામ વિભાગોના વડાઓની બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. જેનો ઉદ્દેશ્ય દૂર-દૂરના વિસ્તારોમાંથી AIIMSની ભીડ દૂર કરવાનો છે, જેઓ અહીં […]
ભારત દેશમાં મહિલાઓને જરૂર જટેલો પૌષ્ટિક આહાર મળતો નથી. દેશમાાં અડધો અડધ મહિલાઓ ફિકાશવાળી છે જ્યારે ત્રીજા ભાગની મહિલાઓ કુપોષિત હોવનું જોવા મલ્યું છે. માતા પોતેજ ભૂખમરાથી પીડિત હોય તો નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણ વાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી એના પરીણામે બાળકના શારીરિક વિકાસમાં […]
દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને ક્લિનિકલ ટ્રાયલ બેઝીસ પર કોરોના વેક્સિન આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંગ્રહાલયોમાં ગુજરાતના એકમાત્ર જૂનાગઢ સ્થિત સક્કરબાગની પસંદગી કરવામાં આવી છે અને પ્રથમ તબક્કે 15 સિંહોને આ વેક્સિન અપાશે. દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોના સંચાલકો અને રાજ્યના વન વિભાગને કેન્દ્રીય મંત્રાલય દ્વારા ક્લિનિકલ ટ્રાયલ માટે કહેવામાં આવ્યું છે. […]
અમદાવાદની બે શાળાના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ ચિંતામાં પેઠા છે. શહેરની બે જાણીતી સ્કૂલ મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ શાળાના 1-1 વિદ્યાર્થી સંકમિત થયા છે. જેના કારણે તંત્ર અને શિક્ષણ અધિકારીમાં ભાગદોડ મચી ગઈ છે. શિક્ષણ અધિકારી દ્વારા બંને શાળાના સંબંધિત વર્ગ 10 દિવસ માટે બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં […]
કોરોના વાયરસના પ્રકોપથી થોડી રાહત મળ્યા બાદ જીવન ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર મોટા ખતરાની ઘંટડી વાગી છે. વૈજ્ઞાનિકો સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા ઓમિક્રોન વેરિએન્ટ’ અંગે ખૂબ જ ભયભીત છે અને વિશ્વને ચેતવણી આપી રહ્યા છે. આ વેરિયન્ટ અત્યાર સુધી 77 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને કોઈ પણ સ્ટ્રેનની તુલનામાં કોરોનાના […]
સાબરકાંઠાના રમણીય વિસ્તારમાં પગપાળા પ્રવાસમાં જોડાવા ઇચ્છતા ફતેપુરા તાલુકાનાં યુવાનો અરજી કરી શકશે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી યુવાનોની રહેવા-જમવા સહિતની વ્યવસ્થા સાહસીક પગપાળા સાબરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છ્તા ફતેપુરા તાલુકાના ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ જોડાઇ શકે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે દર વર્ષે સાહસિક વન […]
દેશ દોઢ વર્ષથી વધુ સમયથી કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. બીજી લહેરમાં તબાહી મચાવ્યા બાદ દેશમાં કોવિડ-19ના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા ભયાનક છે. હકીકતમાં, છેલ્લા એક દિવસમાં, દેશમાં 501 દર્દીઓએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં ભલે કોરોનાના કેસ ઘટી રહ્યા […]