Junagadh / રાજયપાલ અને સીએમ રૂપાણી હાજર રહ્યાં, સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ યોજાયો

0 minutes, 0 seconds Read

જૂનાગઢમાં રાજય કક્ષાના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવવાની છે. ત્યારે સ્વાતંત્ર્ય પર્વની કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજયપાલ અને સીએમ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી નાગરિકો, સાધુસંતો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થશે.ત્યારે આ ઉજવણી પહેલા જૂનાગઢના તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.


મહત્વપૂર્ણ છે કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ રાજ્યકક્ષાની ઉજવણીમાં હાજરી આપશે.ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી પહેલા જૂનાગઢને સોળે શણગાર સજાવવમાં આવ્યા છે. પ્રાચીન અને ઐતિહાસિક ઇમારતો સાથે સરકારી કચેરીઓ રંગબેરંગી લાઇટથી ઝળહળી ઉઠી છે.

બીજી તરફ પોલીસ વિભાગ પણ રાજ્યકક્ષાની ઉજવણીમાં થનારી પરેડ માટે રીહર્સલ દ્વારા તૈયારીઓ કરી રહ્યું છે.સ્વતંત્રતા પર્વની ઉજવણી સમયે પોલીસ વિભાગના જવાનો અવનવા કરતબો બતાવશે.જેમાં પોલીસ વિભાગની વિવિધ ટીમો દિલધડક સ્ટંટ કરશે તો ઘોડેસવાર પોલીસ પણ પોતાનું કૌવત દર્શાવશે

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights