દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને આખાત્રીજ શુભકામનાઓ પાઠવતા કહ્યું – શુભ કાર્યોની સિદ્ધિ સાથે સંકળાયેલ આ શુભ ઉત્સવથી પણે કોરોના સામે જીત મેળવીએ. સાથે જ પરશુરામ જંયતિની પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.ઈદ-ઉલ-ફિત્રના શુભ પ્રસંગે તમામને શુભકામનાઓ પાઠવતા કહ્યું દરેકના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના. સામૂહિક પ્રયાસોથી આપણે વૈશ્વિક રોગચાલાને કાબુ કરીશું.
લગ્ન માટે અખાત્રીજ વણજોયું મુહૂર્ત ગણવામાં આવતું હોય છે. દર વર્ષે શહેરમાં અખાત્રીજના દિવસે અંદાજે 1500થી વધુ લગ્ન થતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના સંકટના કારણે સરકાર દ્વારા લદાયેલ નિયંત્રણોને પગલે માંટ 100 થી 200 લગ્ન થશે તેવો અંદાજ છે. સોનાચાંદીના વેપારીઓએ અખાત્રીજ દુકાન તાલુ રાખવા મંજૂરી મળી નથી. મોટાભાગના જ્વેલર્સે ઓનલાઈન બુકિંગ […]