તહેવારો પૂર્વે મોંઘવારી સામાન્ય અને ગરીબ વર્ગની કમર તોડી રહી છે. રાજકોટથી મળતા અહેવાલો મુજબ તહેવારો સમયે જ સિંગતેલના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. વધતા જતા ભાવ પાછળ મગફળીની નહિવત આવક કારણભૂત ગણવામાં આવી રહી છે.સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થયા છે. ત્યારે ગણપતિ મહોત્સવ, નવરાત્રિ સહિતના તહેવારોને ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. […]
ગૃહિણીઓને હવે રસોઈ બનાવવા માટે ચિંતા કરવાની જરૂર નથી, સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે વિદેશથી આયાત કરેલા પામ ઓઇલ પરની આયાત દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આયાત દરોમાં ઘટાડો આજથી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. આશા છે કે સરકારના નિર્ણયથી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે અને હાલમાં પૂરતી રાહત મળી શકે […]
છેલ્લા પાંચ વર્ષોમાં અત્યારે તેલના ભાવ સૌથી ટોચ પર છે. જ્યારે સરકારી આંકડા મુજબ ગત એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 55.55 ટકાનો વધારો થયો છે. ખાદ્યતેલના ભાવ આકાશને સ્પર્શી રહ્યા છે. આ મહામારીના સમયમાં માધ્યમવર્ગ અને ગરીબ વર્ગને ખાવા પીવામાં પણ તકલીફો પડી રહી છે. આવી સ્થિતિમાં દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. કોઈ વસ્તુના ભાવ […]