આખરે ગુજરાતમાં મ્યૂકોરમાયકોસીસને મહામારી જાહેર કરાઈ : કોર કમિટીની બેઠકમાં નિર્ણય

0 minutes, 0 seconds Read

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોરમાયકોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1897 અન્વયે આ રોગ ને મહામારી જાહેર કરવામાં આવેલો છે.

આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ.સી.એમ.આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન્સ નું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ ચોક્કસ કેસોની વિગતો ભારત સરકાર ને સમયાંતરે મોકલવાની રહેશે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights