ગુજરાતમાં BJP કોના નેતૃત્વમાં 2022ની વિધાનસભા ચૂંટણી લડશે? પ્રદેશ અધ્યક્ષ પાટીલનું મોટું નિવેદન

0 minutes, 0 seconds Read

સમગ્ર દેશ આજે 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન સીઆર પાટીલે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

જણાવી દઈએ કે, આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં ભાજપ દ્વારા અત્યારથી જ મતદારોને રિઝવવા માટે ચૂંટણીલક્ષી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જો કે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો થઈ રહી હતી. આ અટકળોનો અંત લાવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે કમલમ ખાતે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માત્ર અફવાઓ છે. રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ખૂબ જ સારુ કામ થયું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

દિલ્હીમાં ભાજપનું મોવડીમંડળ નક્કી કરે તે પ્રમાણે ચૂંટણી લડીશું
બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષના ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય એવા નિવેદન પર જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ અને દિલ્હીથી મોવડીમંડળ નક્કી કરે તે પ્રમાણે આગામી વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights