Thu. Apr 25th, 2024

ગુજરાત-રાજસ્થાન સરહદ પર અમીરગઢના જંગલમાંથી બે માનવ કંકાલ મળ્યા

By Shubham Agrawal May15,2021

ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ સોનવાડી પાસેના જંગલમાંથી યુવક-યુવતીનો માનવ કંકાલ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને માનવ કંકાલને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢના સોનવાડી પાસેના જંગલમાંથી એક યુવક અને યુવતી નો માનવ કંકાલ મળી આવ્યો હતો. અહીથી પસાર થતા લોકોએ માનવ કંકાલ જોતા જ તાત્કાલિક જાણ કરતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ આ અંગે પ્રાથમિક તપાસ કરતા 15 દિવસ અગાઉ બાજુના વિસ્તારમાં રહેતા પ્રેમી યુવક અને યુવતી ઘરેથી નાસી ગયા હતા જે અંગે ની જાણવા જોગ ફરિયાદ પણ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ હતી.

આ બાબતે પોલીસ ને શંકા જતા ગુમ થયેલા યુવક યુવતીના પરિવારજનોને બોલાવીને તપાસ કરી હતી તેમજ માનવ કંકાલ પાસેથી મળી આવેલ પર્સ અને કપડા સહિત ની ચીજવસ્તુઓ ચકાસતા ગુમ થયેલા યુવક યુવતી જ હોવાનું જ જણાયુ હતું જેથી પોલીસે આ બંને યુવક-યુવતીના માનવ કંકાલ ને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે તેમજ આ અંગે અત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights