ગુજરાતમાં સતત વરસાદ વચ્ચે નદીઓ અને ડેમોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ત્યારે સોમનાથની સરસ્વતી નદી પર ગીર બે કાંઠે વહે છે. જોકે, આ નદીના ધસમસતા પ્રવાહને કારણે કેટલાક યુવાનો પોતાના જીવના જોખમે છલાંગ મારતા જોવા મળે છે. જોકે, નદીમાં પાણી આવતા લોકોમાં ઉત્સાહનો વાતાવરણ છે. તેમજ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. […]
Gir somnath : આરોગ્યપ્રદ મનાતા લીલા નાળિયેર પર સફેદ જીવાતોએ હુમલો કર્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ લોકોને ચિંતીત કર્યા છે. તો તેની સાથે જ ગીર સોમનાથ જીલ્લામાં લીલા નાળિયેર પર મહારોગે સંકટ ઊભું કર્યું છે. સફેદ માખી નામના રોગે નાળિયેરના બગીચાઓને ખરાબ કરી દીધા છે. સાથે દેશભરમાં થતી નિકાસમાં પણ આ રોગના કારણે […]
ગુજરાતમાં પ્રથમ વરસાદ બાદ છેલ્લા લાંબા સમયથી લોકો વરસાદ ની રાહ જોઇ રહ્યા છે. આ દરમ્યાન શુક્રવારે સૌરાષ્ટ્રના ગીર -સોમનાથમાં લાંબા સમય બાદ વરસાદ પડ્યો છે. જેમાં વેરાવળ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. તેમજ વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને પણ જીવતદાન મળશે.
ગીર સોમનાથ : શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિર ખાતે શ્રી હરિહર બ્રાંડથી શુદ્ધ દેશી ગાયના ઘીનું વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રારંભ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગૌશાળામાં 90 જેટલી ગીર ગાયો છે. અને તેમાંથી બનતા ઘીને મંદિરની અર્ચનામાં કામે લાગે છે. ત્યારબાદ વધેલા ઘીને શ્રી હરિહર […]
ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવધિવેદ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે. વેહલી સવારથી જ સોમનાથ મહાદેવના દ્વારે ભાવિકોના ટોળા ઉમટ્યા હતા. મંદિર વેહલી સવારે 4 વાગ્યાથીજ ભાવિકો માટે ખુલ્લું મુકાયું હતું. ત્યારે તમામ વ્યવસ્થા ઉપરાંત લોકો ભક્તિમાં ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ ના સદંતર અભાવ વચ્ચે […]
ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નાના એવા નાલીયા માંડવી ગામે વેક્સીનને લઈને વિવાદ સામે આવ્યો છે. ગામના સ્થાનિકોનું કહેવું આ ગામના લોકોને રસી આપવા કોઈ આવ્યું જ નથી. ગામના લોકોનું કહેવું છે કે, તેઓએ દીવ જઈ રસી લેવાની ફરજ પડી હતી. પરંતુ આરોગ્ય વિભાગમાંથી કોઈ ગામમાં આવ્યું જ નથી. તો બીજી તરફ […]
ગીર સોમનાથ : સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે ખેડૂતોએ સોમવારે ચક્કાજામ કર્યો હતો. જેમાં તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને હજુ સુધી સહાય ના મળતા ભાજપ સરકાર વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા.કિસાન સંઘ અને ખેડૂતો એ હાઈવે બ્લોક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ દરમ્યાન ખેડૂતના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા હતા, અને રસ્તા વચ્ચે જ […]
ગીર સોમનાથ : હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. સમયસર વરસાદ થતાં ખેડુતો ખુશ થયા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, કોડીનાર અને ઉનામાં પણ વરસાદદી માહોલ છે. જૂનમાં અરબી સમુદ્રમાં એક પણ વરસાદની વ્યવસ્થા રચાઇ […]
ગીર સોમનાથના કોડીનારના આલીદર ગામમાં સિંહોએ ધામા નાખ્યા છે. 1 સિંહણ અને 3 સિંહોને સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યાં છે અને ગીર જંગલ છોડીને સિંહ પરિવાર વાડી વિસ્તારમાં ધામા નાખ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા ઘણા સમયથી આલીદર ગામના ખેતરોમાં 10 થી વધુ સિંહો જોવા મળ્યા છે. ગામના સીમ વિસ્તારમાં સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો […]