અમદાવાદમાં પોતાના જ બાળકને તરછોડીને માતા ફરાર, મિઝોરમની મહિલાની ધરપકડ

0 minutes, 0 seconds Read

ગાંધીનગરમાં તરછોડાયેલા સ્મિતની ઘટનાને હજી અઠવાડિયુ પણ થયુ નથી, ત્યાં પાંચ દિવસમાં જ ફરી એવો જ ઘાટ સર્જાયો છે. અમદાવાદના વેજલપુરમાં બાળક મૂકીને ફરાર થઈ જવાની ઘટના બની છે. વેજલપુરના એક એપાર્ટમેન્ટમાં રહેતી મિઝોરમની મહિલા પોતાના બે દિવસના નવજાતને છોડીને ફરાર થઈ રહી હતી, ત્યારે જ સ્થાનિકોએ તેને પકડી પાડી હતી.

મહિલા બાળકને મૂકીને ફરાર થઈ રહી હતી, ત્યારે રહીશોએ તેને દોડતી પકડી પાડી હતી અને પોલીસને સોંપી હતી. આમ, સ્થાનિકોની સજાગતાને કારણે આખરે એક નવજાત બાળક રઝળતા બચી ગયુ છે. જોકે, બાળક તરછોડનાર મહિલા મિઝોરમની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મહિલા સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે.

ગાંધીનગરના પેથાપુરમાં બનેલી ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન થયું છે. ગાંધીનગરની ગૌશાળા બાદ હવે અમદાવાદમાંથી બે દિવસનું બાળક રઝળતુ મળી આવ્યું છે. માતા બે દિવસના બાળકને મૂકી ફરાર થઈ ગઈ છે. જો કે પોલીસે કલાકોમાં જ માતાની ભાળ મેળવી છે. સ્થાનિકોની સજાગતા અને પોલીસના પ્રયાસથી સફળતા મળી છે. બાળકની માતા મિઝોરમથી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે માતાને ભાળ મેળવી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી  છે. કુમળા બાળકને તરછોડીને માતા ફરાર થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે.
author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights